જંત્રી દર બાબતે સરકાર બે ડગલાં પાછળ થઇ! અમલ હાલ પૂરતો મોકૂફ, ક્યારે અમલમાં આવશે જંત્રી દર જાણો

Views: 94
Read Time:1 Minute, 3 Second
ગાંધીનગર:
રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક વિરોધ બાદ ગુજરાત સરકાર બેકફૂટ પર આવી છે. સરકાર દ્વારા હવે નવો નિર્ણય કરવામાં આવ્યો કે, રાજ્યમાં તા. ૦૪/૦૨/૨૦૨૩ના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારા નો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ ૧૫/૦૪/૨૦૨૩ના રોજથી અમલી કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા જંત્રી દરમાં કરાયેલો વધારો તા. ૧૫/૦૪/૨૦૨૩થી અમલી બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા. ૧૫/૦૪/૨૦૨૩થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે.