ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ધૂમધામથી ઉજવણી!અમદાવાદમાં નગરયાત્રાને મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું

ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ધૂમધામથી ઉજવણી!અમદાવાદમાં નગરયાત્રાને મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું

0 0
Spread the love

Read Time:1 Minute, 47 Second

અમદાવાદ: ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં વિવિધ ટેબ્લો સાથે નગરયાત્રાનું  આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પુર્વ વિસ્તાર રખિયાલમાં મોટી સંખ્યામાં શહેરીજનો દ્વારા જયભીમના નારા લગાવી ડૉ. બાબા સાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યા.

રખિયાલ વિસ્તારમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ગૌરવ નગર યાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ નગરયાત્રાને મુખ્યમંત્રીએ મંચ પરથી ફ્લેગ ઓફ કરાવી હતી. મુખ્યમંત્રીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન એવા મહાપુરુષને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. 

મુખ્યમંત્રીએ નગરયાત્રામાં સામેલ નાગરિક બંધુઓ, ટેબલો પ્રસ્તુતકર્તા  યુવાનો અને વિવિધ વેશભૂષામાં સજ્જ ભૂલકાઓનું અભિવાદન ઝીલ્યું હતું.

આ અવસરે શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય અમિતભાઈ શાહ, દિનેશ કુશવાહા, સાંસદ દિનેશ મકવાણા, રાજકીય આગેવાન ગોરધન ઝડફિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો! દર 15 દિવસે ગેસના ભાવોની સમીક્ષા કરવામાં આવશે

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો! દર 15 દિવસે ગેસના ભાવોની સમીક્ષા કરવામાં આવશે

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.