એક બાજુ ઉપદેશ અને બીજી બાજુ ઉલ્લંઘન ક્યાંથી જશે કોરોના! નેતાજી કોરોનાને મજાકમાં ના લો, ત્રીજી લહેરને આમંત્રણ ના આપો
અમદાવાદ: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોવા મળી રહી છે. આરોગ્ય તંત્ર પણ હોસ્પિટલ, ઓક્સિજન અને અન્ય દવાઓની વ્યવસ્થાઓમાં વ્યસ્ત છે ત્યારે, શહેરના દાણીલીમડા વિસ્તારમાં ભાજપના નેતા અને અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટભાઈ સોલંકીનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો. પણ આ શું કરી બેઠા નેતાજી! કોરોનાકાળમાં લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરે સોશિયલ ડિસ્ટન્સ રાખે મોઢે માસ્ક રાખે તો કોરોનાથી બચી શકાય પણ અહીં તો જન્મ દિવસની ઉજવણીમાં કોરોના ગાઈડલાઈનના લિરા ઉડ્યા.
દાણીલીમડા વિસ્તારમાં અમદાવાદના કાર્યકર્તાઓએ સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીના ૭૨મા જન્મદિવસની ઉજવણી કરી. જ્યાં ડો કિરીટભાઈ સોલંકી, સાંસદ શ્રી અમદાવાદ પશ્ચિમ, લોકસભા પેનલ સ્પીકર, ચેરમેન એસ.સી, એસ.ટી કમિટી, ના -૭૨ માં જન્મ દિવસ ની આજે દાણીલીમડા વોર્ડ ના કાર્યકર્તાઓ સર્વ શ્રી નરેશ વ્યાસ, ડિમ્પલ પ્રિયદર્શી, જયેશ પટેલ, હરીશ પરમાર, ભાવેશ કાપડીયા, કિશોરભાઈ પરમાર, નરેન્દ્ર સોલંકી, મહેન્દ્ર મિસ્ત્રી, અશોક ભુરો, જયમલ, વિશાલ સાધુ, રાજેન્દ્ર સોલંકી, નવિન રાઠોડ સહિતના દાણીલીમડા ના મોટી સંખ્યા કાર્યકર્તા ઓએ ઉપસ્થિત રહીને સેનેટાઈઝર, માસ્ક વિતરણ કરીને તેમજ ” કેક” કાપી ને જન્મદિવસ ઉજવ્યો હતો, આ પ્રસંગે દાણીલીમડા ના નરેન્દ્ર પરમાર, અમૃતલાલ પરમાર, રતિલાલ, રમેશભાઈ, રાજુભાઈ, તેમજ વિસ્તાર ના મોટી સંખ્યા માં લોકો હાજર રહીને ડો કિરીટભાઈ સોલંકી ને શુભેચ્છાઓ પાઠવી હતી.
ડો. કિરીટભાઈ સોલંકી આપને આપના 72માં જન્મ દિવસની શુભકામનાઓ પણ જો જન્મ દિવસની ઉજવણીના ઉત્સાહમાં માત્ર ઉપદેશ અને માસ્ક સેનેટાઇઝર વિતરણ સાથે થોડી કોરોના સમજ પોતે પણ રાખી હોત તો સારું થાત.