રામ મંદિર નિર્માણ મુદ્દે બી.જે.મેડિકલ કોલેજ જેવી સરકારી સંસ્થામાં મિટિંગ યોજાતા તબીબી આલમમાં ચર્ચાએ જોર પકડ્યું
અમદાવાદ: બી.જે. મેડિકલ કોલેજમાં બુધવારે સવારે યોજાયેલી ઉચ્ચ અધિકારીઓની એક મિટિંગ અંગે તબીબી આલમમાં ચર્ચાએ જબરદસ્ત જોર પકડ્યું! પ્રાપ્ત માહિતી મુજબ રામ મંદિર નિર્માણ ના મુદ્દે બી.જે મેડિકલ કોલેજમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ આ મિટિંગ અંગે તમામ અધિકારીઓ ચૂપકીદી સેવી રહ્યાં છે.
મંગળવાર સવારથી જ તબીબી આલમ ના જુદા જુદા વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થયો હતો. આ મેસેજમાં રામ મંદિર નિર્માણ કોન્ટ્રીબ્યુશન કરવા અંગે બી.જે મેડિકલ કોલેજમાં બુધવારે મિટિંગના આયોજન કર્યું હોવાના સમાચાર
વહેતા થયા હતા. જેથી બી.જે મેડિકલ કોલેજ જેવી સરકારી શૈક્ષણિક સંસ્થામાં ધાર્મીક કાર્યક્રમ અંગેની મિટિંગને કારણે અનેક તર્કવિતર્ક એ જોર પકડ્યું છે.
ડોક્ટરોના વોટ્સએપ ગ્રુપ માં વાયરલ થયેલા આ મેસેજ મુજબ ગુજરાત મેડિકલ ટ્રીચર્સ એશોષિએસન અને અન્ય બે સંસ્થાઓ દ્વારા સંયુક્તપણે યોજાયેલી મિટિંગ સિવિલ હોસ્પિટલના રિટાયર્ડ સુપરિટેન્ડન્ટ ડો એમ એમ પ્રભાકર ના અધ્યક્ષ સ્થાને બુધવારે સવારે યોજાઈ હતી. આ મિટિંગમાં ડો પ્રભાકર સહિત સંઘ ના આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના હોવાનો મેસેજ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ વોટ્સએપ મેસેજમાં તમામ મેડિકલ ફેકલ્ટીને મિટિંગ એટેન્ડ કરવા અને બૃહદ ફાળો આપવા અપીલ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોશિયેશન ના ડો રજનીશ પટેલને પૂછતાં તેમણે ચૂપકીદી સેવતા કહ્યું હતું કે “આ આંતરિક બાબતની મિટિંગ હતી, અને આ અંગે હું કોઈ કોમેન્ટ ન કરી શકું.” બીજીબાજુ બી.જે મેડિકલ કોલેજના ડીન ડો પ્રણય શાહ ને ફોન કરતાં સંપર્ક થઈ શક્યો નથી.
Views 🔥