દવાઓની કિમંતમાં 140% નો ભાવ વધારો! શુ સરકાર સંગ્રહખોરોને છાવરી રહી છે

0
દવાઓની કિમંતમાં 140% નો ભાવ વધારો! શુ સરકાર સંગ્રહખોરોને છાવરી રહી છે
Views: 106
0 0
Spread the love

Read Time:7 Minute, 46 Second


રેમેડીસીવર ઇન્જેક્શનની બેફામ કાળાબજારી – સંગ્રહખોરી કરીને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે અને સરકાર મુકપ્રેક્ષક બની રહે તે કેટલે અંશે યોગ્ય? શું ભાજપ સરકાર ભાગીદાર છે?

Views 🔥 દવાઓની કિમંતમાં 140% નો ભાવ વધારો! શુ સરકાર સંગ્રહખોરોને છાવરી રહી છે

અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને તમામ લોકોને યોગ્ય સુવિધા મળવી જરૂરી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબજ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો વેઠી રહ્યા છે અને આવી કટોકટીની સ્થિતિ વચ્ચે કોરોના સંક્રમણની અતિ ઘાતક, આક્રમક અને વ્યાપક બીજી લહેરે આરોગ્યની પાંગળી વ્યવસ્થા વચ્ચે મોત સામે સંઘર્ષ કરી રહેલા સમગ્ર ગુજરાતમાં ખુબ જ ભયજનક સ્થિતિ પેદા કરી છે. આફતને આર્થિક ફાયદાનાં અવસરમાં રૂપાંતરિત કરવા દવાઓ, ઇન્જેક્શનના કાળાબજાર અને સંગ્રહખોરીને રોકાવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું  કે  કોરોના મહામારીમાં સંક્રમિત થતા લોકો માટે આપવા આવતી દવાઓનાં ભાવમાં પણ અસહ્ય વધારો જોવા મળ્યો છે. તાવ, ઉધરસ અને શરદી માટેની પેરાસીટામોલમાં ૧૪૦ ટકા જેટલો ભાવ વધારો, તેવી રીતે ઇજિથરોમાયસીન પણ ૭૩૦૦ પ્રતિ કિલો થી વધીને ૧૦૦૦૦ પ્રતિ કિલો સુધીનો ભાવ વધારો, જ્યારે કોરોના દર્દીની સારવાર માટે ઉપયોગી દવા આઈવરમેકર્ટિનનો ભાવ ૧૮૮ ટકાનો વધારો કરી પ્રતિ કિલો ૫૨૦૦૦નાં ભાવે વેચાઈ રહી છે આ તમામ ભાવ વધારો છેલ્લા ચાર માસમાં થયો છે. દવામાં વધી રહેલા બેફામ ભાવ વધારા છતાં ભાજપ સરકાર દિશા વિહીન છે અને ફૂડ અને ડ્રગ્સ ડીપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર બન્યું છે. લોકડાઉન, આર્થિક મંદી, બેરોજગારીને પગલે દેશનો સામાન્ય અને મધ્યમ વર્ગ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં બેડ ન મળે, ઓક્સિજન સિલિન્ડરની કાળા બજારી થાય, રેમેડીસીવર ઇન્જેક્શનની બેફામ કાળાબજારી – સંગ્રહખોરી કરીને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે અને સરકાર મુકપ્રેક્ષક બની રહે તે કેટલે અંશે યોગ્ય? શું ભાજપ સરકાર ભાગીદાર છે?

રાજ્યમાં બેફામપણે રેમડીસીવર ઈજેંકશન/ ટોસીલીજુમેબની મોટા પાયે કાળાબજારી અને બનાવટી રેમડીસીવર ઈંજેકશનનું ઉત્પાદન અને વેચાણ અટકાવવામાં તેમજ જરૂરીયાતવાળા દર્દીઓને સમયસર રેમડીસીવર ઈંજેકશનો પુરા પાડવાના આયોજનમાં રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ બિલકુલ નિષ્ફળ નીવડ્યું છે. દર્દીઓને સમયસર રેમડીસીવર ઈંજેકશનો પુરા પાડવાનું આયોજન કરવામાં પણ નિષ્ફળ જતાં દર્દીના સ્વજનો કાળાબજારીમાં હજારો-લાખો રૂપિયાના ઈંજેકશનો- દવાઓ લેવા મજબુર બન્યા છે. સાથોસાથ રાજ્યમાં હોસ્પિટલો નાગરિકો પાસેથી સારવારનાં નામે આડેધડ રૂપિયા વસુલી રહી છે. તેમજ બનાવટી રેમડીસીવર ઈંજેકશનના કારણે અનેક દર્દીઓ મોતના મુખમાં ધકેલાયા છે. આવા બનાવટી ઈંજેકશનોનું ઉત્પાદન શરૂ થઈને હજારો-લાખો ઈંજેકશનો અનેક દિવસો સુધી રાજ્યના અનેક જીલ્લાઓમાં વેચાઈ રહ્યા હતા તેમ છતાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંગ્રહખોરી – કાળાબજારીં અટકાવાવમાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે.ગુજરાતના નાગરીકો ક્યાં સુધી આ બનાવટી દવા – ઇન્જેક્શન અને અસહ્ય ભાવ વધારાનો ભોગ બનતા રહશે ?

ક્રમ પેરાસીટામોલ ભાવ
૧ ઓક્ટો – ડીસે.૨૦૧૯ ૨૫૦-૨૭૦ પ્રતિ કિલો
૨ મેં-જુન ૨૦૨૦ ૩૬૦-૩૯૦ પ્રતિ કિલો
૩ ડીસેમ્બર -૨૦૨૦ ૪૫૦-૪૮૦ પ્રતિ કિલો
૪ અપ્રિલ ૨૦૨૧ ૫૮૦-૬૦૦ પ્રતિ કિલો
ક્રમ એજીથ્રોમાઈસીનનો ભાવ પ્રતિ કિલો
૧ ડીસેમ્બર -૧૯ ૭૩૦૦-૭૭૦૦
૨  ડીસેમ્બર -૨૦ ૯૫૦૦-૧૦૨૦૦
૩ અપ્રિલ -૨૧ ૯૯૦૦-૧૦૪૦૦

ક્રમ આઈવરમેકર્ટિનનો ભાવ ડોક્ષીસાયકલીન ભાવ
૧ ૧૮૦૦૦ થી ૫૨૦૦૦ પ્રતિ કિલો ૬૦૦૦ થી ૧૨૦૦૦ પ્રતિ કિલો

જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ સરકાર જાહેર હિતમાં નક્કર પગલા ભરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ડીસેમ્બર-૨૦૨૦ની સ્થિતિએ સરકારી અને જનરલ હોસ્પિટલોમાં વર્ગ-૧ની ૮૨૯, વર્ગ-૨ની ૬૨૮, વર્ગ-૩ની ૩૮૫૭ અને વર્ગ-૪ની ૧૦૦૬ જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-૧ની ૪૭૯, વર્ગ-૨ની ૨૯૮, વર્ગ-૩ની ૧૧૮૨ અને વર્ગ-૪ની ૧૧૬૪ જેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-૨ની ૫૦૨, વર્ગ-૩ની ૧૩૫૮ અને વર્ગ-૪ની ૧૧૬૯ જેટલી જગ્યાઓ ખાલી છે. વર્ગ-૧ અને વર્ગ-૨ની ડોકટરો અને પેરામડીકલ સ્ટાફની મોટાપાયે જગ્યાઓ ખાલી હોવાથી નાગરીકોને મહામારીમાં સમયસર સારવાર મળતી નથી.

ગુજરાતના ૧૮૦૦૦ ગામોમાં કોરોના સક્રમણને ફેલાતું અટકાવવા માટે તાત્કાલિક નિદાન અને પુરતી સારવાર સમયસર મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ સુવિધા ઉપલબ્ધ હોવાની વાત તો દૂર રહી પરંતુ તાલુકા કક્ષાએ પણ નિદાન માટે જરૂરી RT-PCR ટેસ્ટ, સીટી સ્કેન, ડી-ડાઈમર સહિતના ટેસ્ટ થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ નથી અને અમુક જીલ્લામાં તો જીલ્લા કક્ષાએ પણ ખૂબ મુશ્કેલીઓ છે. ગ્રામ્ય કક્ષાએ ૮-૧૦ કે તેથી વધુ ગામો વચ્ચે માત્ર એક સામુહીક આરોગ્ય કેન્દ્ર (CHC) કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) હોય છે ત્યાં પુરતા પ્રમાણમાં કોરોના ટેસ્ટીંગ માટેની રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ નથી ત્યારે RT-PCR ટેસ્ટની તો વાત જ કયાં કરવી ? આ સત્ય હકીકત છે.આવા મહામારીના સમયે ગ્રામ્ય કક્ષાએ કોરોના મહામારીમાં નાગરીકોને સમયસર સારવાર મળી રહે તે અત્યંત જરૂરી છે. ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોની થતી દવા-ઇન્જેક્શનની આર્થિક લુટ પર મૌન કેમ ભાજપ સરકાર જવાબ આપે ?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *