ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરી પ્રાથમિક મંડળીમાં ઉમેરવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો

0
ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરી પ્રાથમિક મંડળીમાં ઉમેરવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો
Views: 89
0 0
Spread the love

Read Time:6 Minute, 48 Second
Views 🔥 ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરી પ્રાથમિક મંડળીમાં ઉમેરવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો

સહકારી કાયદાની કલમ 74 (c)(1)(v) ને રદ કરી રાજયની ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરી પ્રાથમિક મંડળીમાં ઉમેરવાના રાજય સરકારના વિવાદીત સુધારાને હાઇકોર્ટે ગેરકાયદે અને બંધારણીય જોગવાઇ વિરૂધ્ધનો ઠરાવ્યો

હાઇકોર્ટના આ મહત્વના ચુકાદાને પગલે હવેથી ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓને ફરી પાછી નિર્દિષ્ટ મંડળીમાં ગણવામાં આવશે અને સહકારી કાયદાની કલમ 74 (c)(1)(v)  રદ થયેલી ગણાશે નહિ. આ ચુકાદાને કારણે  ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી પણ જે તે જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવશે

અમદાવાદ,તા.27
સહકારી કાયદાની કલમ 74 (c)(1)(v) ને રદ કરી રાજયની ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરી પ્રાથમિક મંડળીમાં ઉમેરવાના રાજય સરકારના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથના વડપણ હેઠળની બેંચે રાજયના સહકારી કાયદામાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 3.8.2019ના રોજ કરાયેલ સુધારો રદબાતલ કર્યો છે અને એવું ઠરાવ્યું હતું કે, આ સુધારા પાછળના કારણો જે સરકાર દ્વારા આપવામાં આવેલ છે જેવા કે ચૂંટણીમાં મંડળીને ખર્ચ થાય છે અને સરકારી અધિકારીઓને તકલીફ પડે છે તે manifestly arbitrary  એટલે કે જોહુકમી ભર્યા છે અને બંધારણથી વિરુદ્ધના છે.
ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને કારણે હવેથી ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓને ફરી પાછી નિર્દિષ્ટ મંડળીમાં ગણવામાં આવશે અને સહકારી કાયદાની કલમ 74 (c)(1)(v)  રદ થયેલી ગણાશે નહિ. આ ચુકાદાને કારણે  ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી પણ જે તે જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ વિવાદીત સુધારાને સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન- 6776/2020  દ્વારા ભરૂચના વિક્રમસિંહ માંગરોલા દ્વારા પડકારવામાં  આવી હતી. તેમના વકીલ તરીકે એડવોકેટ અર્ચિત જાની અને અમિત બારોટે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કુલ 27 ખાંડ ઉત્પાદક સહકારી મંડળી છે જેમાં લગભગ 4.5  લાખ સભાસદો છે.  આ સિવાય ખાંડ ઉત્પાદનની પ્રવૃત્તિ સાથે 5.5  લાખ લોકો આડકતરી રીતે સંકળાયેલા છે.  ગુજરાત રાજ્યમાં ખાંડ ઉત્પાદન નું વાર્ષિક ટર્નઓવર લગભગ 4000 કરોડ રૂપિયા છે. ખાંડ ઉત્પાદન સહકારી મંડળી ખાંડ સહકારી મંડળીઓની અગત્યતા સમજી અને રાજ્ય સરકારે 1982માં ખાંડ ઉત્પાદન સહકારી મંડળીઓને પ્રાથમિક મંડળીમાંથી નિર્દિષ્ટ મંડળીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
દર પાંચ વર્ષે આ ખાંડ ઉત્પાદક મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી થતી હોય છે. આ ચૂંટણી ૧૯૮૨થી રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં કરેલ સુધારાને કારણે જે તે જિલ્લાના કલેકટર દ્વારા કરવામાં આવતી હતી. કલેકટર આ ચૂંટણીની કામગીરી કરવા ડેપ્યુટી કલેકટરને ચૂંટણી અધિકારી તરીકે  નીમતા  હતા. ડેપ્યુટી કલેકટર ચૂંટણી અધિકારી તરીકે કાર્યવાહી કરતા હોઇ ચૂંટણીમાં તટસ્થતા અને નિષ્પક્ષતાનું તત્વ રહેતું હતું અને રહેલ હતું.
નિર્દિષ્ટ મંડળીમાં સમાવેશ કરવાના કારણે આ સહકારી મંડળીઓના કામની પારદર્શકતામાં વધારો થયો હતો. તેમાં મુખ્યત્વે આ મંડળીઓની ચૂંટણી મંડળી દ્વારા પોતે નહીં પરંતુ જિલ્લાના કલેકટર દ્વારા કરવામાં આવતી હતી. જેમાં ચેરમેનની મુદત અઢી વર્ષની હતી.
પરંતુ રાજ્ય સરકાર દ્વારા તા.3.8.2019  ના રોજ સહકાર કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં ઉમેરવામાં આવી. આ સુધારાને કારણે સહકારી કાયદાની કલમ 74 (c)(1)(v)  ને રદ કરી દેવાઇ, જે કલમ દ્વારા ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરવામાં આવી હતી. રાજ્ય વિધાનસભાના આ પ્રકારના સુધારાથી ખાંડ સહકારી મંડળીઓમાં જો નવો સુધારેલો કાયદો અમલમાં રહે તો તેના બોર્ડની ચૂંટણી કલેકટર દ્વારા નહીં પરંતુ પરંતુ બોર્ડ દ્વારા પોતાના નિમાયેલા ચૂંટણી અધિકારી દ્વારા થાય જેને પરિણામે ઘણી ગેરરીતિઓ, પક્ષપાત અને ભેદભાવ ની સંભાવના રહે છે.
આ અરજીમાં અરજદારપક્ષ તરફથી એડવોકેટ અર્ચિત જાની અને અમિત બારોટે હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, વિધાનસભાનો આ કાયદો ગેરકાયદેસર, આપખુદશાહી વાળો તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી કરવાના સિદ્ધાંતની અને સહકારી કાયદાના સિદ્ધાંતની વિરુદ્ધનો છે તેથી તેને રદબાતલ જાહેર કરવો જોઈએ. સને 1982 થી જ્યારે ખાંડ મંડળીઓની ચૂંટણી જે તે જિલ્લા કલેકટર દ્વારા થતી હોય 2019માં આવી ચૂંટણી કરવાની સત્તા કલેકટર પાસેથી લઈને જે તે ખાંડ મંડળીઓના બોર્ડને આપવાની કલમ લોકશાહીના સિદ્ધાંતો અને સહકારી કાયદાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જેના કારણે ચૂંટણી કરવાના મુક્ત અને ન્યાયી સિદ્ધાંતને ગંભીર અસર પડે છે. અરજદારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી ગુજરાત હાઇકોર્ટે પિટિશન મંજૂર કરી ઉપરમુજબ મહત્વનો હુકમ જારી કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *