સમગ્ર દેશમાં શિક્ષણ એક આવશ્યક જરૂરિયાત છે તેવા સમયે શિક્ષણમાં અનેક વર્ષોથી નવતર પ્રયોગોનું કાર્ય થતું રહ્યું છે ત્યારે વર્ષ 2006માં સ્થાપના થયેલ સ્ટેટ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સોલાપુર મહારાષ્ટ્ર દ્વારા સમગ્ર દેશમાંથી ઇનોવેટિવ ટીચર્સની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે દેશમાંથી પસંદ થયેલ શિક્ષકોમાં ગુજરાતના દસ ઇનોવેટીવ શિક્ષક મિત્રો નું સર ફાઉન્ડેશન મહારાષ્ટ્ર ( સ્ટેટ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન) દ્રારા લોનાવલા ખાતે બે દિવસ નેશનલ લેવલ એજ્યુકેશન ઇનોવેશન કોન્ફરન્સ 2021 માં ભાગ લઇ દેશમાંથી આવેલ ઇનોવેટિવ શિક્ષક મિત્રોના નવતર પ્રયોગો જાણવાનો એક અનેરો અવસર પ્રદાન થયો.જેમાં અમદાવાદ જિલ્લા ની દસ્ક્રોઈ તાલુકાની રોપડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નિશીથ ભાઈ આચાર્યનું “ઓનલાઇન સમર કેમ્પ”ઇનોવેશનની પસંદગી થતાં તા -09-11-2021 ને જ્ઞાન પંચમી ના શુભ દિવસે સર ફાઉન્ડેશન સોલાપુર દ્રારા ” નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડ ” થી સન્માન કરતાં અમદાવાદ જિલ્લા અને દસ્ક્રોઈ તાલુકા નુ ગૌરવ વધારેલ છે. આ સન્માન ના સાચા હકદાર એ પ્રતીક પ્રજાપતિ અને અંકુશ ઠાકોર જેવા વિધાર્થીઓ ની ટીમ તથા શાળાના નાના ભૂલકાઓ , શિક્ષક ગણ, SMC કમિટી નાં સભ્યો અને ગામજનો તથા મારી કર્મભૂમિ રોપડા ગામ છે. આ સન્માન એમને અર્પણ કરતાં ખુબજ આનંદ વ્યક્ત કરતા સર ફાઉન્ડેશન સોલાપુર નો ખુબ ખુબ આભાર પણ વ્યક્ત કર્યો.
અમદાવાદની રોપડા પ્રાથમિક શાળાના આચાર્ય નિશીથભાઈ નું નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડથી સન્માન.
Read Time:2 Minute, 9 Second