વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે વિશેષ પુસ્તક “કારકિર્દી ના ઉંબરે “નું વિમોચન
![વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે વિશેષ પુસ્તક “કારકિર્દી ના ઉંબરે “નું વિમોચન વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે વિશેષ પુસ્તક “કારકિર્દી ના ઉંબરે “નું વિમોચન](https://i2.wp.com/themobilesnews.com/wp-content/uploads/2022/06/IMG_20220616_123428-713x1024.jpg?w=1024&resize=1024,1024&ssl=1)
![](https://themobilesnews.com/wp-content/uploads/2022/06/IMG_20220616_122102-1024x501.jpg)
કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશી દ્વારા સંપાદિત પુસ્તક કારકિર્દી ના ઉંબરે
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા વિમોચન
સતત ૧૭માં વર્ષ થી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન પૂરું પાડતું પુસ્તક
અમદાવાદ: ૧૬,૦૬,૨૦૨૨
ધોરણ-૧૦-૧૨ ના પરિણામો જાહેર થઈ ચુક્યા છે ત્યારે વિદ્યાર્થી – વાલીઓને સચોટ અને સરળ માર્ગદર્શનની વિશેષ જરૂરિયાત ઊભી થઈ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત ૧૭મા વર્ષે કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા સહિત વરિષ્ઠ મહાનુભાવોના હસ્તે રાજીવ ગાંધી ભવન ખાતે કરવામાં આવ્યું.
![વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે વિશેષ પુસ્તક “કારકિર્દી ના ઉંબરે “નું વિમોચન વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે વિશેષ પુસ્તક “કારકિર્દી ના ઉંબરે “નું વિમોચન](https://themobilesnews.com/wp-content/uploads/2022/06/IMG_20220616_123428-713x1024.jpg)