જૂનાગઢ: ૦૨’૦૯’૨૦૨૨ વિશ્વ નારિયેળ દિવસના અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે સરદાર બાગ ખાતે આ કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરીનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીએ કેરળના કોચીના ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું, અને વિશ્વ નાળિયેર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. અત્ર ઉલ્લેખનીય છે કે, કોકોનેટ ડેવલોપમેન્ટ બોર્ડની આ ગુજરાત રાજ્યની પ્રથમ અને દેશની છઠ્ઠી કોકોનેટ ડેવલોપમેન્ટ બોર્ડની કચેરી છે.