રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપનાર સુરતના જજનું પ્રમોશન

0
રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપનાર સુરતના જજનું પ્રમોશન
Views: 72
0 0
Spread the love
Read Time:2 Minute, 26 Second


અન્ય 68 ન્યાયધીશોની અલગ અલગ જિલ્લાઓમાં બદલી સાથે બઢતી

રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપનાર સુરતના જજનું પ્રમોશન થયુ છે. જેમાં રાજકોટ કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ.વર્માની બઢતી થઇ છે.

એડિશનલ સિનિયર સિવિલ જજ એચ.એચ વર્માને પ્રમોશનની બઢતી

રાજકોટ કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ અન્ય 68 ન્યાયાધીશોની વિવિધ જિલ્લાઓમાં બઢતી- બદલી થઇ છે. જેમાં સુરત લેબર કોર્ટના જ નરેશ શાહની સુરેન્દ્રનગર કોર્ટમાં બઢતી થઇ છે. ત્યારે રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપનાર સુરતની કોર્ટના જજને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એચ.એચ વર્માને પ્રમોશનની બઢતી અપાઈ છે.

જજ નરેશ શાહને સુરેન્દ્રનગર કોર્ટમાં બઢતી આપવામાં આવી

રાજકોટ કોર્ટ ખાતે 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં સાતમા એડિ. ડિસ્ટ્રિક્ટ જજ કે.એસ હિરપરાની બઢતી કરાઇ છે. જેમાં જજ કે. એસ હિરપરાની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના 15મા એડિ. ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી થઇ છે. તથા સુરત-કઠોર કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ટી. એચ દ્વેની જામનગર કોર્ટના ચોથા એડિ. ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી કરવામાં આવી છે. તેમજ સુરત લેબર કોર્ટના જજ નરેશ શાહને સુરેન્દ્રનગર કોર્ટમાં બઢતી આપવામાં આવી છે. જ્યારે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ.એચ.વોરાની ફેરવેલ યોજાશે. તેમાં ગુજરાત હાઇકોર્ટમાં આજે બપોરે 2.30 વાગે જસ્ટિસ એસ.એચ.વોરાની ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું છે.


Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »