મહેસાણા: આયોધ્યા વિવાદના અંત બાદ હવે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે દેશના ખૂણે ખૂણેથી રામમંદિર ફાળો આવી રહ્યો છે. ત્યારે મહેસાણા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા સચિન મોદીએ જેલમાં કામ કરીને એકત્ર કરેલી આવક માંથી રૂપિયા 11000નું દાન રામ મંદિર નિર્માણ માટે આપ્યું છે.