કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતના પ્રવાસે ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેના પ્લાન્ટની કરશે મુલાકાત

0
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતના પ્રવાસે ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેના પ્લાન્ટની કરશે મુલાકાત
Views: 97
0 0
Spread the love

Read Time:1 Minute, 40 Second
Views 🔥 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતના પ્રવાસે ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેના પ્લાન્ટની કરશે મુલાકાત

ગુજરાતમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને રિલીઝ કરશે

ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાત પહોંચશે. કોરોનાની વેક્સિન – COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતે આવેલા પ્લાન્ટની મુલાકાત કરશે.

ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વર ખાતે પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટમાં બનેલી  COVAXINની સૌપ્રથમ બેચને આવતીકાલે સ્વાસ્થ્ય મંત્રી દ્વારા રિલીઝ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે દેશમાં માત્ર એક જ દિવસમાં 1 કરોડ  કરતાં વધારે કોરોનાની  વેક્સિનના ડોઝ લગાવાયા અને  ‘દુનિયાની સૌથી મોટી વેક્સિન ડ્રાઈવ’માં એક ઐતિહાસિક  કીર્તિમાન સ્થપાયો.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેની મુલાકાત અત્યંત મહત્વની  ગણી શકાય કારણ કે સૌ પ્રથમ વેક્સિન બેચની રિલીઝ સાથે COVAXIN ના ઉત્પાદનમાં  પણ  ઝડપી વધારો થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ બધાને વેક્સિંન,  મફત  વેક્સિન’ ના સંકલ્પ ને દ્રઢતા મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *