અમદાવાદમાં નિર્માણ પામતા બ્રિજનો એક ભાગ તૂટ્યો. એક વિચારવાનો પ્રશ્ન..જો બ્રિજ ચાલુ હોત અને તૂટ્યો હોત તો??

અમદાવાદમાં નિર્માણ પામતા બ્રિજનો એક ભાગ તૂટ્યો. એક વિચારવાનો પ્રશ્ન..જો બ્રિજ ચાલુ હોત અને તૂટ્યો હોત તો??
Views: 74
0 0
Spread the love
Read Time:1 Minute, 10 Second
Views 🔥 web counter


અમદાવાદ: અમદાવાદના બોપલ તરફના વિસ્તારમાં આવેલ એસપી રિંગ રોડ પર નિર્માણ ચાલતા બ્રિજનો ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો હતો. સૂચના મળતાની સાથે જ ફાયર અને પોલિસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બોપલના શાંતીપુરા પાસે આ ઘટના બની હતી જોકે કોઈ જાનહાની જોવા મળી નહોતી જેથી એક મોટી દુર્ઘટના બનતા અટકી જોવા મળી છે. આ ઘટનાને જોતા બ્રિજના કામકાજ અંગે ઘણા સવાલો ઉભા થયા છે. રણજિત બિલ્ડકોન ને ઔડા દ્વારા આ બ્રિજનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ ઘટનાની રોડ અને બિલ્ડીંગ વિભાગ દ્વારા કામકાજની સમીક્ષા કરવામાં આવશે. મોડી રાત્રે ઔડાના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી. હવે જોવાનું એ રહ્યું કે આગળ શું કાર્યવાહી થશે ? પણ અહીં એક સવાલ ઉદભવે છે કે જો આ બ્રિજ કાર્યરત હોત તો??? વિચારજો….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »