રાજ્યમાં દર 48 કલાકે એસ.સી.- એસ.ટી પર થઈ રહ્યો છે હુમલો! છેલ્લા 6 વર્ષમાં 9712 હુમલાની ઘટનાઓ

<strong>રાજ્યમાં દર 48 કલાકે એસ.સી.- એસ.ટી પર થઈ રહ્યો છે હુમલો! છેલ્લા 6 વર્ષમાં 9712 હુમલાની ઘટનાઓ</strong>
Views: 571
0 0
Spread the love
Read Time:3 Minute, 36 Second

એસસી-એસટી પર સતત વધી રહેલા હુમલા રોકવામાં ભાજપ સરકાર નાકામ.

ગુજરાતમાં એસટી એટ્રોસિટીના બનાવોમાં છેલ્લા ત્રણ વર્ષનો કન્વિકશન રેટ એક ટકા કરતા પણ ઓછો

છેલ્લા ત્રણ વર્ષમાં એસટી એટ્રોસિટી કેસમાં માત્ર 9 લોકોને સજા થઇ છે

અમદાવાદ: 09’02’2023
અનુસુચિત જાતી(SC) અને અનુસુચિત જનજાતિ(ST) પરના અત્યાચારમાં થઇ રહેલા વધારા, પગલા ભરવામાં નાકામ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે લોકસભાના પટલ પર રજુ થયેલ ચોકાવનારા આંકડા પ્રમાણે ગુજરાતમાં એસસી-એસટી પર વધતી જતી એટ્રોસિટીની ઘટનાઓએ ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. એસસી-એસટીના બંધારણીય હક્કો-અધિકારો અગે ભાજપ સરકાર અનદેખી કરી રહી છે. ગુજરાતમાં અનુસુચિત જનજાતિ(ST) પર વર્ષ 2019માં 321 કેસ રજીસ્ટર જયારે સજા માત્ર 7ને થઇ. વર્ષ 2020- 291 જેટલા કેસ રજીસ્ટર જયારે સજા માત્ર ૨ને થઇ અને  વર્ષ 2021માં 341 જેટલા એટ્રોસિટીના કેસ રજીસ્ટર થયા પરતું એક પણને સજા થઇ નહિ. એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં એસટી એટ્રોસિટી કેસમાં માત્ર 9 લોકોને સજા થઇ છે.  એસટી એટ્રોસિટીના બનાવોમાં ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષનો કન્વિકશન રેટ એક ટકા કરતા પણ ઓછો છે. ભાજપ સરકારના રાજમાં છેલ્લા ત્રણ વર્ષમાં અનુસુચિતજનજાતી પર 953 જેટલી એટ્રોસિટીની ગંભીર ઘટનાઓ થઇ છે આ નોધાયેલી ઘટનાઓ છે જયારે ફરીયાદ ન લેવામાં આવે, ધમકાવીને કાઢી મુકવામાં આવે, ડર-ભય પેદા કરવામાં આવે જેનાંથી ભોગ બનનાર ફરિયાદી ન બને  જેવી ન નોધાયેલી ઘટનાઓ બમણાથી પણ વધુ છે. 

ભાજપ સરકારમાં દર 48 કલાકે અનુસુચિત જનજાતી પર ‘એક’ અત્યાચાર-હુમલા ઘટના થાય છે. છેલ્લા 6 વર્ષમાં એસસી-એસટી પર 9712 જેટલી ઘટનાઓ–હુમલાઓ થયા છે. એસસી-એસટી પરના થઈ રહેલા હુમલા સમગ્ર રાજ્ય માટે ચિંતાજનક બાબત છે. એસસી-એસટી પર સતત વધી રહેલા હુમલા રોકવામાં ભાજપ સરકાર નાકામ રહી છે. એસસી-એસટીના હક્કો-અધિકારો મળવા, કાયદાકીય બાબતો અંગે જાગૃતતા લાવવા છેલ્લા 3 વર્ષમાં સમગ્ર દેશમાં 15000થી વધુ જનજાગૃતિના કાર્યક્રમો થયા પરતું ગુજરાતની ભાજપ સરકારએ વર્ષ 2018 અને 2019માં દેખાવ પૂરતા માત્ર 6-6 અને વર્ષ 2020માં જાગૃતિ અંગેના એક પણ કાર્યક્રમ કર્યો નહિ. જે ભાજપ સરકારની એસી-એસટી વિરોધી માનસિકતા દર્શાવે છે.

અનુસુચિત જનજાતી પર એટ્રોસિટીની ઘટનાઓ
ક્રમ    વર્ષ કેસ નોધાયા  દોષિતને સજા
૧      2091                3217
૨      2020                2912
૩      2021                3410
કુલ 9539

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »