TRB જવાનોનો સરકાર સામે મોરચો કેમ…?

0
TRB જવાનોનો સરકાર સામે મોરચો કેમ…?
Views: 126
0 0
Spread the love

Read Time:2 Minute, 32 Second
TRB જવાનોનો સરકાર સામે મોરચો કેમ…?


રાજ્ય સરકાર દ્વારા 18મી નવેમ્બરના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જેમાં TRB માં કામ કરતા 9000 પૈકી આશરે 6300 ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠેરઠેર ટીઆરબી જવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આજે ગુજરાતભરમાં ટીઆરબી જવાનો લડી લેવાના મૂડમાં દેખાયા છે.

વિદ્યાસહાયકો બાદ હવે આજે ટીઆરબી જવાનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો કરાયા છે. સાથે જ સરકારને પત્ર લખીને આ પરિપત્ર રદ કરવાની માંગણી કરાઈ છે. 


રાજ્યમાં રહેલા કુલ 9000 TRB જવાનોમાંથી 1100 જવાનોનાં 10 વર્ષ પૂરાં થઈ ગયાં હોવાથી 30 નવેમ્બર, 2023ના રોજ છૂટા કરી દેવામાં આવશે. જ્યારે 3000 જવાનોને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવાથી તેમને 31 ડિસેમ્બર, 2023ના રોજ ફરજમુક્ત કરવામાં આવશે. તેમજ 2300 TRB જવાનોને 3 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવાથી 31 માર્ચ, 2024ના રોજ છૂટા કરવામાં આવશે.


અમદાવાદમાં TRB જવાનો આજે હડતાળ પર ઉતર્યા છે. કલેક્ટર ઓફિસ બહાર TRB જવાનોએ સૂત્રોચ્ચાર કર્યા. રાજ્ય સરકારના એક પરિપત્રને લઈને ટીઆરબી જવાનોમાં વિરોધ જોવા મળ્યો છે. TRB જવાનોને છૂટા કરવાના નિર્ણય સામે વિરોધ દર્શાવાયો છે. સમગ્ર રાજ્યમાં 6 હજાર ટીઆરબી જવાનોને છુટા કરવાની વાત ચાલી રહી છે,ટીઆરબી જવાનોમાં આ નિર્ણયને લઈ રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય પરત ખેંચવા માંગ ઉઠી છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed