કોરોનાકાળમાં 70 હજારથી વધુ દર્દીઓએ 1200 બેડ હોસ્પિટલમાં સારવાર મેળવી
અમદાવાદ: કોરોના કાળ દરમિયાન સમગ્ર વિશ્વમાં જબરદસ્ત ઉથલપાથલ મચી ગઇ છે. આમાં સૌથી મોટી કસોટી તબીબી જગતની થઈ છે. રાજ્યમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ તબીબોએ પણ એડી ચોટી નું જોર લગાવી દર્દીઓની સેવા સુશ્રુષા કરી છે, તેમાં કોઈ બેમત નથી. બેશક કોરોનાકાળ માં આપણે ઘણું ગુમાવ્યું છે. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબો આ આફતને પણ અવસર માની રહ્યા છે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો જે વી મોદી કહે છે કે, “કોરોના દરમિયાન ઘણા ઉતાર ચઢાવ જોયા છે. પરંતુ તેમાં હોસ્પિટલ ને લાંબા ગાળાના કેટલાક ફાયદા પણ થયા છે. જેમ કે અમારા તમામ રેસિડેન્ટ ડોકટર્સ ને જીવનભર યાદ રહે તેવો અનુભવ મળ્યો છે. આ સાથે 1200 બેડની હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન, ડીજીટલ એક્સ રે મશીન, ઇન હાઉસ લેબોરેટરી, ઇન હાઉસ બ્લડ બેન્ક, ઇન હાઉસ પલાઝમાં બેક યુદ્ધ ના ધોરણે ઉભી કરવાની તક મળી, જેમાં અમે સફળ થયા તેનો અમને આનંદ છે. આ તમામ સુવિધાઓ આગામી વર્ષોમાં લોકો માટે ખૂબ જ લાભકારક નીવડશે.
Views 🔥