પોલીસ સ્ટેશનમાં પોલીસ ગાયબ! વૃદ્ધના હાથમા ચપ્પુ વાગ્યું, ફરીયાદ કરવા પહોંચ્યા તો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ફરીયાદ વિભાગમા કોઈ પોલીસ હાજર ના મળ્યો!રામ રાજ્ય પ્રજા દુઃખી!

પોલીસ સ્ટેશનમાં પોલીસ ગાયબ! વૃદ્ધના હાથમા  ચપ્પુ વાગ્યું, ફરીયાદ કરવા પહોંચ્યા તો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ફરીયાદ વિભાગમા કોઈ પોલીસ હાજર ના મળ્યો!રામ રાજ્ય પ્રજા દુઃખી!
Views: 58
0 0
Spread the love
Read Time:3 Minute, 28 Second

પોલીસ સ્ટેશનમાં પોલીસ ગાયબ!
વૃદ્ધના ફરિયાદ માટે વલખા
કલાકો રાહ જોવી પડી

   રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર )
        અમદાવાદમાં એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક વયોવૃદ્ધ વ્યક્તિના હાથમા કોઈ માથાભારે શખ્સે ચપ્પુનો ઘા હાથ ઉપર મારી લૂંટ ચલાવી હતી. જેની ફરીયાદ કરવા 62 વર્ષિય વૃદ્ધ વ્યક્તિ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ડાબા હાથના કાંડાના ઉપરના ભાગે ચપ્પુનો ઘા વાગતા વૃદ્ધના હાથમાંથી લોહી નીકળતું હતું. તેથી ફરીયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરંતુ ત્યાં ફરીયાદ વિભાગમાં એકપણ પોલીસકર્મી હાજર ન હતો.

        ઘટના વિશે વધુ વિગત મળવા અનુસાર કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં આવેલી કેવડાજીની ચાલીમાં ગંગાનગરમા રહેતા 62 વર્ષિય વૃદ્ધ વ્યક્તિ જયરામભાઈ ધનજીભાઈ પરમાર કેવડાજીની ચાલીમાંથી પસાર થતા હતા તે સમયે ત્યાંજ રહેતો એક માથાભારે શખ્સ જયદીપે જયરામભાઈને રોકી 100 રૂપિયાની માંગણી કરી હતી.જયરામભાઈ એ પૈસા આપવાની ના પાડતા જયદીપ કે જે નશાનો બંધાણી છે તેને પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પા વડે જયરામભાઈના ડાબા હાથ ઉપર ઘા કર્યો હતો. ઉમરલાયક જયરામભાઈને ચપ્પુ વાગતા તે સ્થળ ઉપર બેભાન થઈ જતા જયદીપ નામના માથાભારે શખ્સ એ બેભાન થઈ પડેલા જયરામભાઈના ખિસ્સામાંથી 1500 રૂપિયા કાઢી લીધા હતા.

       મોડી રાત્રે બનેલા બનાવમાં ફરીયાદી લુખ્ખાતત્વોની બીક રાખી વહેલી સવારે પોતાની ફરીયાદ કરવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં ફરીયાદ વિભાગમાં તપાસ કરતા એકપણ પોલીસકર્મી ત્યાં હાજર મળી આવ્યો ન હતો. આશ્ચર્યની વાત છે કે કદાચ પોલીસ કોઈ અન્ય કેસ કે ફરીયાદ બાબતમાં પણ બહાર ગઈ હોય એમ બની શકે છે, પરંતુ ફરીયાદ કરવા આવેલા અને હાથમા ઈજા સાથે બે કલાકથી વધુનો સમય થઈ જવા છતાં ત્યાં કોઈ પોલીસ ફરક્યું ન હતું. જયારે આ વાતની જાણ ત્યાંના pso ને કરાઈ ત્યારે તે પોતે ફરીયાદી રૂમમાં આવ્યા ત્યારે પણ કોઈ પોલીસકર્મી ત્યાં હાજર મળી આવ્યો ન હતો. Pso થી જયારે પૂછવામાં આવ્યું કે ઉમરલાયક વ્યક્તિને હાથમા ચપ્પુ વાગ્યું છે, અને હાથમા લોહી પણ નીકળે છે તો તમે એમની ફરીયાદ કેમ નથી લેતા. ત્યારે pso  એ કહ્યું કે એક ફરિયાદના સંદર્ભે પોલીસ ગઈ છે, આવશે ત્યારે તેમની ફરીયાદ લઈશુ. પરંતુ બે કલાક થી વધારે સમય વીતી જવા બાદ પણ ફરીયાદ વિભાગની પોલીસ હાજર મળી ન હતી.

Views 🔥 web counter

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »