હવે રાજ્યમાં વહાનચાલકો પાસેથી માસ્ક સિવાયના દંડ વસુલવામાં નહીં આવે!
હવે રાજ્યમાં વહાનચાલકો પાસેથી માસ્ક સિવાયના દંડ વસુલવામાં નહીં આવે!
અમદાવાદ: દેશ સહિત રાજ્યમાં કોરોનાનો કાળો વર્તાઈ રહ્યો છે. એક બાજુ જનતા પાસે હાલ કમાણીના કોઈ સાધનો નથી. લોકડાઉન જેવી હાલત છે જેથી રોજગાર અને નોકરી પર ખતરો આવ્યો છે. ત્યારે આવા સમયે વાહનચાલકો પાસે અલગ અલગ ટ્રાફિક નિયમો હેઠળ મસમોટો દંડ અને ક્યાંક વાહનો જપ્ત કરવા સંબંધિત કિસ્સાઓ પણ બનતા રહેતા હોય છે. રસ્તાઓ પર ઉભેલા ટ્રાફિક પોલીસના કાફલાઓ જનતા માટે ઘણી વાર મુશ્કેલીઓ નોતરતા હોય છે. જો કે, હવે રાજ્ય સરકાર તરફથી વાહનચાલકોને હાલ પુરતી મોટી રાહત આપતો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત હવે RTO માં થતી ભીડ અટકાવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
જેમાં કહેવાયુ છે કે, પોલીસ વાહનચાલકો પાસે માસ્ક સિવાયના દંડ નહીં વસૂલે. ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ હાલ કોઈ દંડ નહીં વસૂલવામાં આવે, ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ વાહન ડિટેઈન પણ નહીં કરાય. CM રૂપાણીએ આ અંગે આર.સી.ફળદુ અને પ્રદીપસિંહ જાડેજાને સૂચના આપી છે.